નાનકડા ખોબા જેવડા ગામમાં ક્ષત્રીયો, બ્રાહ્મણો, અને મુસ્લિમો વગેરે જેવી વિવિધ જ્ઞાતિઓ વસ્તી હતી. શેરીઓ, મંદિરો તેમજ બજારોથી આ નગર શોભાયમાન થઇને ઝળહળી ઉઠતું તેમાય પાછું લાખોટા તળાવ આ નગરને સૌંદર્ય અને પ્રાકૃતિકમાં જાન ફુકી દેતું.
જામનગરમાં રાજાશાહી સમયે બનેલા બેડી ગેઈટ, નાગનાથ ગેઈટ, કાલાવાડ ગેઈટ, ખોજા ગેઈટ એમ મુખ્ય ચાર દ્વાર હતા, તેમજ આશાપુરા ખડકી, મચ્છીપીઠની ખડકી, સૂરજ બારી, જેવી છ ખડકીઓ લોકોનાં અવર જવર તેમજ માલસામાનનાં હેરફેર માટે ઉપયોગ થતો હતો.
તેની સુરક્ષા માટે નગરની ચારેય બાજુ દિવાલો ઉભી કરવામાં આવી હતી જેને ગઢની રાંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ નગરની અંદર અને નગરની આજુબાજુનાં વિસ્તારોમાં નઝર રાખવા માટે ભુજીયા કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. યુધ્ધમાં વપરાતાં દારૂગોળા અને મેગેંનીઝનો વિશાળ જથ્થો લાખોટા મહેલમાં મુકવામાં આવ્યો હતો.
આ દારૂગોળા અને મેગેંનીઝને લાખોટા મહેલમાં એટલા માટે રાખવામાં આવ્યો હતો કારણકે લાખોટા મહેલ ચારેય બાજુ પાણીથી ધેરાયેલો હતો.
નવાનગર એટલે હાલનાં જામનગરની સ્થાપના ઇ.સ 1540 માં કરવામાં આવી હતી અને ભારત સ્વતંત્ર થયું ત્યારે ઇ.સ 1948 માં નવાનગર ( જામનગર ) ભારત સાથે જોડાયું હતું. જામનગર નું વિસ્તાર લગભગ 9820 km² ( 3790 SQ MI ) માં ફેલાયેલું હતું.
નવાનગર ( જામનગર ) ની વસ્તીની વાત કરીએ તો ઇ.સ 1901 માં વસ્તી ગણતરી ( જનગણના ) મુંજબ 3,36,779 જેટલી હતી.
सुरत તો सुरत છે…પણ મારુ જામનગર ખુબસુરત છે.
#JORDAR JAMNAGAR
LOVE YOU. JAMNAGAR ❤️
Love 😍 you Jamnagar…. Salute Jam Saheb.